છેલ્લા બે પ્રહર જાણે પ્રહાર હતા.
સાંજે ઓરડીમાં આવેલા એ શખ્સને ગુસ્સાથી પીંખી નાખ્યો હતો. વીસ હજારની વસુલી રોજ ગડદાપાટુનો મૂઢમાર બની અંગઅંગ પર ચકામું બનશે? અડધી રાતે હિબકા ખાતી કુંજલને ગરમ સ્પર્શે જગાડી હતી. હબકી ગયેલી કુંજલ નિદ્રાનો ડોળ ઓઢી પડી રહી. હળદરની વાસ નાકમાં ઘુસી ગઈ. “મુઝે માફ કરના મેરી બચ્ચી.પર અબ કિસ્મત કે આગે ઝૂક જા” અને મૌસીનું ઘ્રુસકું… કાનો પર વિશ્વાસ તો ન બેઠો.
કળ તો શું વળે પણ એ ઘટના પછી ચેતનાએ કહેલા શબ્દો મનમાં વીંઝાઈ રહ્યા હતા. “કોઈને ચહેરો નથી કુંતલ, મહોરાં પાછળ બધે સૂનકાર જ હોય છે.”
કુંતલનાં મનમાં કુતુહલે ઉછળો માર્યો .
— નીવારોઝીન રાજકુમાર